પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

જન સેવા કેન્દ્ર

6/28/2025 9:35:24 PM

નાગરિક અધિકાર પત્ર અન્વયે સરકારશ્રીની તમામ કચેરીઓમાં "જનસેવા કેન્દ્રો" ઊભાં કરાવવા અંગે સરકારશ્રી તરફથી આયોજન કરવામાં આવ્યું છે, જે જનસેવા કેન્દ્ર તરીકે ઓળખાય છે.

આ કેન્દ્રમાં નાગરિકો માટે બેસવાની વ્યવસ્થા-લખવાની વ્યવસ્થા, અરજીઓ સ્વીકારવાની વ્યવસ્થા તથા જરૂરી ફોર્મ વગેરે મેળવવા માટેની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે.

નાગરિક અધિકાર પત્ર પરત્વે થનાર કાર્યવાહીની વિસ્‍તૃત સમજ / માર્ગદર્શન આપવામાં આવે છે.

આ કેન્દ્ર માટે નાયબ પોલીસ અધીક્ષક કક્ષાના અધિકારી (નોડલ ઓફિસર)ની જનસંપર્ક અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે, જેથી અરજદારે વધુ રજૂઆત માટે તેમ જ તે અંગે માહિતી માટે જરૂર જણાયે તેઓશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.

આ કેન્દ્રમાં લોકોને આપવામાં આવતી સેવાના સંદર્ભમાં જે વહીવટી ખર્ચ થવા પાત્ર છે તે સેવા ચાર્જ તરીકે અરજીદીઠ-રૂ.ર૦/- (વીસ)ની મર્યાદામાં નાગરિકો પાસેથી વસૂલ લેવાની સત્તા જે તે કચેરીના વડાને આપવામાં આવેલી હોઈ જરૂર જણાયે સેવા ચાર્જ વસૂલ લેવામાં આવે છે અને આ અંગેની થનાર આવક નો ઉપયોગ આ કેન્દ્રને વધુ સક્ષમ તથા સુવિધાવાળું બનાવવા માટે કરવામાં આવે છે.

ઉપરોકત જનસેવા કેન્દ્રનો મુદ્રાલેખ

પોલીસ જનસેવા કેન્દ્રમાં આવતા દરેક અરજદાર / નાગરિક ખુબજ મહત્ત્વની વ્યક્તિ છે. તેઓ કોઈ પણ રીતે આપણા ઉપર આધારિત નથી, પરંતુ આપણો આધાર તેમની ઉપર રહેલો છે. આપણે સેવા આપીને તેમની ઉપર ઉપકાર કરતા નથી તે આ કેન્દ્રમાં પધારી સેવા કરવાની તક આપીને આપણને કૃતાર્થ કરે છે.